Posts

શ્રાવણ માસનું મહાત્મ્ય 🌺*

 *🔱 ૐ નમઃ શિવાય 🔱* *📖 શિવ મહાપુરાણ – પ્રસંગ 30 : શ્રાવણ માસનું મહાત્મ્ય 🌺* એક વખત સનત્કુમારજીએ ભગવાન શિવને પૂછ્યું કે, “હે મહાદેવ! બાર મહિનામાં શ્રાવણ માસ તમને સૌથી વધુ પ્રિય કેમ છે? આ માસમાં કરવામાં આવતી શિવપૂજા અને વ્રતનું શું ફળ મળે છે?” ત્યારે ભગવાન શિવે કહ્યું કે “શ્રાવણ માસ મને અત્યંત પ્રિય છે.” આ માસમાં ભગવાન શિવની ભક્તિ, પૂજા, જપ, તપ અને વ્રત કરવાનું વિશેષ મહાત્મ્ય છે. શ્રાવણ માસના મહાત્મ્યનું સંપૂર્ણ વર્ણન કરવું પણ ખૂબ મુશ્કેલ છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં ભગવાન શિવની એક વખત પણ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો તેનું વિશેષ પુણ્ય મળે છે. શિવલિંગ પર જળ ચઢાવવું, બિલ્વપત્ર અર્પણ કરવું, *“ૐ નમઃ શિવાય”* નો જાપ કરવો અને શિવજીનું ધ્યાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ માસમાં પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ મહાત્મ્યમાં જણાવાયું છે કે એક પાર્થિવ લિંગની ભક્તિપૂર્વક પૂજા કરવાથી પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણના સોમવાર તો ખાસ શિવજીને સમર્પિત છે. જો કોઈ વ્યક્તિ આખા વર્ષના સોમવારના વ્રત ન કરી શકે તો શ્રાવણ માસના સોમવારનું વ્રત કરવું જોઈએ. શ્ર...

મહાભારત” માંથી શોધેલ અમૂલ્ય “૯” મોતી

 પાંચ લાખ શ્લોકના મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લો... "મહાભારત” માંથી શોધેલ અમૂલ્ય “૯” મોતી (૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો…… *”કૌરવો”* (૨) તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિધા, વરદાન, બધું જ નકામું થઈ જશે……. *”કર્ણ”* (૩) સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે,, વિધાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે...... *”અશ્વસ્થામા”* (૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે……… *”ભીષ્મપિતા”* (૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે…… *”દુર્યોધન”* (૬) અંધ વ્યક્તિ... અર્થાત્...સ્વાર્થઅંધાન્ધ, વિત્તાંઘ, મદાંઘ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ. નહીં તો તે સર્વનાશ નોતરશે….*”ધૃતરાષ્ટ્ર”* (૭) વિધાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજ્યી થશો…..*“અર્જુન”* (૮) બધા સમયે- બધી બાબતોમાં છળકપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફ્ળ નહીં થાવ………..*”શકુનિ”* (૯) ...

ભસ્મ અને રુદ્રાક્ષની મહિમા

 *🔱 ૐ નમઃ શિવાય 🔱* *📖 શિવ મહાપુરાણ – પ્રસંગ ૨૪ : ભસ્મ અને રુદ્રાક્ષની મહિમા 🌺* એક વખત ઋષિમુનિઓએ સૂતજીને વિનંતી કરી કે, “હે સૂતજી! ભગવાન શિવને ભસ્મ અને રુદ્રાક્ષ આટલા પ્રિય કેમ છે? તેનું મહાત્મ્ય અમને સમજાવો.” ત્યારે સૂતજીએ ભગવાન શિવ દ્વારા માતા પાર્વતીજીને જણાવેલું મહાત્મ્ય સમજાવ્યું. ભગવાન શિવે કહ્યું કે ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરનાર ભક્ત મને અત્યંત પ્રિય છે. ભસ્મ શરીરની નશ્વરતાની યાદ અપાવે છે. આ સમગ્ર જગત એક દિવસ ભસ્મમાં વિલીન થવાનું છે, તેથી મનુષ્યે પોતાના અહંકાર અને મોહનો ત્યાગ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભક્ત જ્યારે કપાળ પર ત્રિપુંડ્ર ધારણ કરે છે ત્યારે તે ભગવાન શિવના સ્મરણ સાથે જીવન જીવવાનો સંકલ્પ કરે છે. ભસ્મ આપણને સમજાવે છે કે ધન, શરીર, વૈભવ અને સંસારની વસ્તુઓ કાયમી નથી; કાયમી છે તો માત્ર પરમાત્માનું તત્ત્વ. *શિવપુરાણ ના આવા જ પ્રસંગો વાંચવા માટે અત્યારે જ અમારી ચેનલને Follow કરો* https://whatsapp.com/channel/0029Va5Peky4NViikFaPzD3S ત્યારબાદ ભગવાન શિવે રુદ્રાક્ષની ઉત્પત્તિનું રહસ્ય જણાવ્યું. મહાદેવ હજારો દિવ્ય વર્ષો સુધી તપસ્યામાં લીન રહ્યા. જ્યારે તેમણે લોકકલ્યાણ...
 🔱 ૐ નમઃ શિવાય 🔱 📖 શિવ મહાપુરાણ – પ્રસંગ ૨૫  : બિલ્વપત્રનું મહાત્મ્ય 🌺 એક વખત એક ભિલ્લ શિકારી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે શિકાર કરવા જંગલમાં ગયો. આખો દિવસ પ્રયત્ન કરવા છતાં તેને એક પણ પ્રાણી મળ્યું નહીં. સાંજ પડી ત્યારે તે ખૂબ ચિંતિત થયો કે આજે પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે. અંતે તે એક તળાવ પાસે આવેલા બિલ્વવૃક્ષ પર ચઢી ગયો. તેની પાસે થોડું પાણી હતું. રાત્રે કોઈ પ્રાણી પાણી પીવા આવશે તો તેનો શિકાર કરી શકાય, એવી આશાથી તે વૃક્ષ પર બેસીને રાહ જોવા લાગ્યો. તે રાત્રે શિકારીને ઊંઘ ન આવે તે માટે તે બિલ્વવૃક્ષનાં પાન તોડતો અને નીચે ફેંકતો રહ્યો. તેની પાસે રહેલું પાણી પણ નીચે ટપકતું રહ્યું. પરંતુ શિકારીને ખબર નહોતી કે બિલ્વવૃક્ષની નીચે ભગવાન શિવનું શિવલિંગ હતું. તેના દ્વારા નીચે પડતા બિલ્વપત્ર અને જળ શિવલિંગ પર અર્પણ થતા રહ્યા. આ રીતે અજાણતાં જ આખી રાત ભગવાન શિવની પૂજા થતી રહી. શિવ મહાપુરાણમાં વર્ણવાયું છે કે આ રીતે બિલ્વપત્ર અને જળ શિવલિંગ પર પડતાં શિવપૂજાનું પુણ્ય પ્રાપ્ત થયું. રાત્રિના અલગ-અલગ સમયે જ્યારે પ્રાણીઓ ત્યાં પાણી પીવા આવ્યા ત્યારે શિકારીએ તેમને મારવા...

દરેક સરકારી યોજનાઓ

આવકનો દાખલો ગ્રામ્ય  આધાર કાર્ડ  પાન કાર્ડ  રેશન કાર્ડ  લાઇટબિલ અથવા વેરાબીલ / ભાડે રહેતા હોય તો ભાડા કરાર  પાસપોર્ટ સાઇઝ ફોટો  3 સાક્ષી ના આધાર કાર્ડ ઝેરોક્ષ દાખલો કઢાવવા જે- તે ગ્રામ પંચાયત નો સંપર્ક કરવો   https://drive.google.com/file/d/1s-gn8xBOqsVxd527dKGbGWlt7Q0Nhw1F/view?usp=sharing   આયુષ્માન કાર્ડ  આધાર કાર્ડ  રેશન કાર્ડ  આવક પ્રમાણપત્ર  નોંધ - નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રોસેસ થશે. 

શ્રી જોધલપીર બાપાનું વ્રત ,વ્રત કરવાથી મળતું ફળ

  શ્રી જોધલપીર બાપાનું વ્રત શ્રી જોધલપીરનો જન્મ સંવત ૧૩૧૬ ચૈત્ર સુદ પૂનમને શુક્રવારના દિવસે થયો હોવાથી લાખો લોકો શ્રી જોધલપીર બાપાના શુક્રવારનું વ્રત અને પૂજા કરતાં જોવા મળે છે. તેમની પૂજનવિધિ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ.   પૂજનખંડમાં અથવા પૂજન સ્થળે શ્રી જોધલપીર બાપાનો ફોટો અથવા મૂર્તિ મૂકો. તેની સમક્ષ ઘી નો દીવો પ્રગટાવી ગુગળનો ધૂપ અથવા ગુગળની અગરબત્તી કરો. નૈવેદ્ય પ્રસાદમાં શ્રીફળ, ઘઉંના લોટનો મળીદો કરવો, પછી શ્રી જોધલપીર બાપાને પ્રણામ કરી બાપાનું ધ્યાન ઘરો અને “જોધલ આરાધના” ચોપડીનું વાંચન કરો. કુટુંબના સર્વે સભ્યો સાથે મળીને શ્રી જોધલપીર બાપાની આરતી કરો અને થાળ ધરાવો ત્યારબાદ પ્રસાદી વહેંચો. વ્રત કરવાથી મળતું ફળ   શુક્રવારનું વ્રત કરવાથી વ્રત કરનાર બેકાર હોય તો નોકરી-ધંધો લાગી જાય છે. નિર્ધન હોય તેને ધન પ્રાપ્તી થાય છે. રોગી હોય તે રોગ મુકત બને છે. બાળક ન હોય તો તેમને ત્યાં પારણું બંધાય છે. વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય છે. ઘરમાં કજીયા-કંકાસ થતાં નથી. ઘરમાં શાંતિ રહે છે અને આત્મ શકિતમાં વધારો થાય છે. શુક્રવારે શ્રી જોધલપીર બાપાનું વ્રત કરવાથી સુ...

જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એક અક્ષરમાં નામ... સુડલા...

-: સંત ભવાની દાસ :- ટેક - તમને ગોરા પીરની આંશ, સુડલા સત્ બોલો નહી તો મત બોલો. ભાવાર્થ:- સંત ભવાની દાસ એમ કહેવા માંગે છે કે, જો તમારે બોલવું જ હોય તો સત્ બોલો નહીતો તમને ગોરાપીરની આંશ છે. સત્ય સનાતન બ્રહ્મ છે તેની સાચી વાત કરો. (૧) અમર વરસે અઘાત ગાજે, દાદુર કરે છે કિલ્લોલ, કંઠ વિનાની કોયલ બોલે, મધુરા બોલે મોર... સુડલા. .. ભાવાર્થ:- સુડલો એટલે પોપટ તે સાંભળેલું જ બોલે છે તેને સત્ય સનાતન બ્રહ્મની ખબર નથી એટલે પોપટીયું જ્ઞાન કહેવાય સાચુ જ્ઞાન નહી. અમર વર તે પ્રાણ આત્મા છે તે અગાધ ગાજે છે તે સતત રણુકાર ને જણકાર રૂપે ગાજ્યાં જ કરે છે. હવે જે કંઠ વિનાની કોયલ છે તે સુરતા છે તે સતનામ સતત બોલે છે ને વળી મધુરા સ્મરે મોર એટલે મનરૂપી મોરલીયા ટહુંકા સતત કરે છે ત્યારે અમરધારા વરસે છે. (૨) વણ વાદળીએ વરસાદ વરસે, ને ઘટડામાં ઉગ્યા રવિ ભાણ. વના કણ ચલ પાકીયાને બહુ ફળ લાગ્યા, વિશે કોઈ ચતુર સુજાણ. ..  ભાવાર્થ:- તાલુ પ્રદેશમાં વણ વાદળીયે અમીરસ ટપકીયા જ કરે છે. ને ઘટમાં પ્રાણરૂપી સૂર્ય પ્રકાશી રહ્યો છે. ગુરુગમે પ્રાણઘટમાં જ્ઞાનરૂપી સૂર્ય ઉગ્યોને ૨ આંબો ફળ્યા. તેમાં કણ પાયાને બહુ ફળ લાગ્યા તેને જ્ઞાની, ચતુર...