Posts

ભસ્મ અને રુદ્રાક્ષની મહિમા

 *🔱 ૐ નમઃ શિવાય 🔱* *📖 શિવ મહાપુરાણ – પ્રસંગ ૨૪ : ભસ્મ અને રુદ્રાક્ષની મહિમા 🌺* એક વખત ઋષિમુનિઓએ સૂતજીને વિનંતી કરી કે, “હે સૂતજી! ભગવાન શિવને ભસ્મ અને રુદ્રાક્ષ આટલા પ્રિય કેમ છે? તેનું મહાત્મ્ય અમને સમજાવો.” ત્યારે સૂતજીએ ભગવાન શિવ દ્વારા માતા પાર્વતીજીને જણાવેલું મહાત્મ્ય સમજાવ્યું. ભગવાન શિવે કહ્યું કે ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરનાર ભક્ત મને અત્યંત પ્રિય છે. ભસ્મ શરીરની નશ્વરતાની યાદ અપાવે છે. આ સમગ્ર જગત એક દિવસ ભસ્મમાં વિલીન થવાનું છે, તેથી મનુષ્યે પોતાના અહંકાર અને મોહનો ત્યાગ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભક્ત જ્યારે કપાળ પર ત્રિપુંડ્ર ધારણ કરે છે ત્યારે તે ભગવાન શિવના સ્મરણ સાથે જીવન જીવવાનો સંકલ્પ કરે છે. ભસ્મ આપણને સમજાવે છે કે ધન, શરીર, વૈભવ અને સંસારની વસ્તુઓ કાયમી નથી; કાયમી છે તો માત્ર પરમાત્માનું તત્ત્વ. *શિવપુરાણ ના આવા જ પ્રસંગો વાંચવા માટે અત્યારે જ અમારી ચેનલને Follow કરો* https://whatsapp.com/channel/0029Va5Peky4NViikFaPzD3S ત્યારબાદ ભગવાન શિવે રુદ્રાક્ષની ઉત્પત્તિનું રહસ્ય જણાવ્યું. મહાદેવ હજારો દિવ્ય વર્ષો સુધી તપસ્યામાં લીન રહ્યા. જ્યારે તેમણે લોકકલ્યાણ...
 🔱 ૐ નમઃ શિવાય 🔱 📖 શિવ મહાપુરાણ – પ્રસંગ ૨૫  : બિલ્વપત્રનું મહાત્મ્ય 🌺 એક વખત એક ભિલ્લ શિકારી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે શિકાર કરવા જંગલમાં ગયો. આખો દિવસ પ્રયત્ન કરવા છતાં તેને એક પણ પ્રાણી મળ્યું નહીં. સાંજ પડી ત્યારે તે ખૂબ ચિંતિત થયો કે આજે પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે. અંતે તે એક તળાવ પાસે આવેલા બિલ્વવૃક્ષ પર ચઢી ગયો. તેની પાસે થોડું પાણી હતું. રાત્રે કોઈ પ્રાણી પાણી પીવા આવશે તો તેનો શિકાર કરી શકાય, એવી આશાથી તે વૃક્ષ પર બેસીને રાહ જોવા લાગ્યો. તે રાત્રે શિકારીને ઊંઘ ન આવે તે માટે તે બિલ્વવૃક્ષનાં પાન તોડતો અને નીચે ફેંકતો રહ્યો. તેની પાસે રહેલું પાણી પણ નીચે ટપકતું રહ્યું. પરંતુ શિકારીને ખબર નહોતી કે બિલ્વવૃક્ષની નીચે ભગવાન શિવનું શિવલિંગ હતું. તેના દ્વારા નીચે પડતા બિલ્વપત્ર અને જળ શિવલિંગ પર અર્પણ થતા રહ્યા. આ રીતે અજાણતાં જ આખી રાત ભગવાન શિવની પૂજા થતી રહી. શિવ મહાપુરાણમાં વર્ણવાયું છે કે આ રીતે બિલ્વપત્ર અને જળ શિવલિંગ પર પડતાં શિવપૂજાનું પુણ્ય પ્રાપ્ત થયું. રાત્રિના અલગ-અલગ સમયે જ્યારે પ્રાણીઓ ત્યાં પાણી પીવા આવ્યા ત્યારે શિકારીએ તેમને મારવા...

દરેક સરકારી યોજનાઓ

આવકનો દાખલો ગ્રામ્ય  આધાર કાર્ડ  પાન કાર્ડ  રેશન કાર્ડ  લાઇટબિલ અથવા વેરાબીલ / ભાડે રહેતા હોય તો ભાડા કરાર  પાસપોર્ટ સાઇઝ ફોટો  3 સાક્ષી ના આધાર કાર્ડ ઝેરોક્ષ દાખલો કઢાવવા જે- તે ગ્રામ પંચાયત નો સંપર્ક કરવો   https://drive.google.com/file/d/1s-gn8xBOqsVxd527dKGbGWlt7Q0Nhw1F/view?usp=sharing   આયુષ્માન કાર્ડ  આધાર કાર્ડ  રેશન કાર્ડ  આવક પ્રમાણપત્ર  નોંધ - નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રોસેસ થશે. 

શ્રી જોધલપીર બાપાનું વ્રત ,વ્રત કરવાથી મળતું ફળ

  શ્રી જોધલપીર બાપાનું વ્રત શ્રી જોધલપીરનો જન્મ સંવત ૧૩૧૬ ચૈત્ર સુદ પૂનમને શુક્રવારના દિવસે થયો હોવાથી લાખો લોકો શ્રી જોધલપીર બાપાના શુક્રવારનું વ્રત અને પૂજા કરતાં જોવા મળે છે. તેમની પૂજનવિધિ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ.   પૂજનખંડમાં અથવા પૂજન સ્થળે શ્રી જોધલપીર બાપાનો ફોટો અથવા મૂર્તિ મૂકો. તેની સમક્ષ ઘી નો દીવો પ્રગટાવી ગુગળનો ધૂપ અથવા ગુગળની અગરબત્તી કરો. નૈવેદ્ય પ્રસાદમાં શ્રીફળ, ઘઉંના લોટનો મળીદો કરવો, પછી શ્રી જોધલપીર બાપાને પ્રણામ કરી બાપાનું ધ્યાન ઘરો અને “જોધલ આરાધના” ચોપડીનું વાંચન કરો. કુટુંબના સર્વે સભ્યો સાથે મળીને શ્રી જોધલપીર બાપાની આરતી કરો અને થાળ ધરાવો ત્યારબાદ પ્રસાદી વહેંચો. વ્રત કરવાથી મળતું ફળ   શુક્રવારનું વ્રત કરવાથી વ્રત કરનાર બેકાર હોય તો નોકરી-ધંધો લાગી જાય છે. નિર્ધન હોય તેને ધન પ્રાપ્તી થાય છે. રોગી હોય તે રોગ મુકત બને છે. બાળક ન હોય તો તેમને ત્યાં પારણું બંધાય છે. વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્કસ મેળવી પાસ થાય છે. ઘરમાં કજીયા-કંકાસ થતાં નથી. ઘરમાં શાંતિ રહે છે અને આત્મ શકિતમાં વધારો થાય છે. શુક્રવારે શ્રી જોધલપીર બાપાનું વ્રત કરવાથી સુ...

જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એક અક્ષરમાં નામ... સુડલા...

-: સંત ભવાની દાસ :- ટેક - તમને ગોરા પીરની આંશ, સુડલા સત્ બોલો નહી તો મત બોલો. ભાવાર્થ:- સંત ભવાની દાસ એમ કહેવા માંગે છે કે, જો તમારે બોલવું જ હોય તો સત્ બોલો નહીતો તમને ગોરાપીરની આંશ છે. સત્ય સનાતન બ્રહ્મ છે તેની સાચી વાત કરો. (૧) અમર વરસે અઘાત ગાજે, દાદુર કરે છે કિલ્લોલ, કંઠ વિનાની કોયલ બોલે, મધુરા બોલે મોર... સુડલા. .. ભાવાર્થ:- સુડલો એટલે પોપટ તે સાંભળેલું જ બોલે છે તેને સત્ય સનાતન બ્રહ્મની ખબર નથી એટલે પોપટીયું જ્ઞાન કહેવાય સાચુ જ્ઞાન નહી. અમર વર તે પ્રાણ આત્મા છે તે અગાધ ગાજે છે તે સતત રણુકાર ને જણકાર રૂપે ગાજ્યાં જ કરે છે. હવે જે કંઠ વિનાની કોયલ છે તે સુરતા છે તે સતનામ સતત બોલે છે ને વળી મધુરા સ્મરે મોર એટલે મનરૂપી મોરલીયા ટહુંકા સતત કરે છે ત્યારે અમરધારા વરસે છે. (૨) વણ વાદળીએ વરસાદ વરસે, ને ઘટડામાં ઉગ્યા રવિ ભાણ. વના કણ ચલ પાકીયાને બહુ ફળ લાગ્યા, વિશે કોઈ ચતુર સુજાણ. ..  ભાવાર્થ:- તાલુ પ્રદેશમાં વણ વાદળીયે અમીરસ ટપકીયા જ કરે છે. ને ઘટમાં પ્રાણરૂપી સૂર્ય પ્રકાશી રહ્યો છે. ગુરુગમે પ્રાણઘટમાં જ્ઞાનરૂપી સૂર્ય ઉગ્યોને ૨ આંબો ફળ્યા. તેમાં કણ પાયાને બહુ ફળ લાગ્યા તેને જ્ઞાની, ચતુર...

સરકારી યોજનાઓ ફોર્મ

  FORMS PDF  1. ભારત સરકાર EWS 2. BIN ANAMAT.  3. DOMICIAL ON.   4. EWS.  5. minority certy -  ધાર્મિક લઘુમતી  6. NON CERIMILYER -OBC,SEBC.  7. ST ના પ્રમાણ પત્રનું ફોર્મ.pdf  8. vidhava from(1).  9. આંગણવાડી. 10. આવક દાખલાનું ફોર્મ. 11. વિધવા હોવા અંગે પ્રમાણપત્ર.  12. સીનીયર સિટીઝન. કુંવરબાઈનું મામેરું (કન્યાને 12,000 સહાય) વ્હાલી દીકરી યોજના(1,10,000 સહાય) વિધવા સહાય (1250 દર મહિને મળવા પાત્ર) કિશાન સન્માનનીધી(દર વર્ષે 6000 સહાય) આયુષ્માન કાર્ડ (૧૦ લાખ સહાય) ઈ-શ્રમ કાર્ડ (૨ લાખ આકસ્મિક વીમો) RTE યોજના 1થી8 ખાનગી શાળા મા ફ્રી એડમિશન ગેઝેટ લોન પાસપોર્ટ રિટર્ન ફાઇલ ૭/૧૨,૮ PE સર્વિસ આધારકાર્ડ એફિડેવિટ રેશનકાર્ડ ભાડાકરાર આવકનો દાખલો પાનકાર્ડ LIC પોલિસી મેરેજ સર્ટિફિકેટ આવાસ યોજના  Pm વિશ્ર્વકર્મા https://drive.google.com/drive/u/0/mobile/folders/1OkfaxfMxfsc_gR7953tdQFIyseL64AD6?usp=sharing

જોધલપીરબાપાની ગરબી

  જોધલપીરની ગરબી-૧” એક કેસરડી ગામ પર મહાન પીર સમરથ શૂરા રે, એના ઝબુક્યા લીલુડા નિશાન રે પીર છે પૂરા રે ટેક. એક સિપાઈએ બકરી લીધી સમરથ શૂરા રે. હતી લુલીને સાજી કીધી રે, પીર છે પૂરા રે ટેક. પીરે ધોળકા જવાની હામ ઘાલી રે, સમરથ શૂરા રે. એની અઘ્ધર ગાંસડી ચાલી રે, પીર છે પૂરા રે ટેક. પીરે બાદશાહનું મનડું મોહ્યું રે, સમરથ શૂરા રે, નજરે જોયું ને પાઠું ખોયું રે, પીર છે પૂરા રે ટેક. પીરે આંધળાને આંખો આપી રે, સમરથ શૂરા રે, એની નવખંડ નામના ચાલી પીર છે પૂરા રે ટેક. પીર સોમલના વખ વાળે રે, સમરથ શૂરા રે, પીરે પાણીમાંથી જાળ બાળી રે, પીર છે પૂરા રે ટેક. પીર કૂવા ઉપર ચાદર ઢાળી રે, સમરથ શૂરા રે, પીર બેઠા છે આસન વાળી રે, પીર છે પૂરા રે ટેક. પીર વાંઝિયાને પારણા બંધાવે રે, સમરથ શૂરા રે, દાસ કલ્યાણ ગુણલા ગાવે, પીર છે પૂરા રે ટેક. ' જોધલપીરની ગરબી-ર'' પીર જોઘલ જગતમાં આવીયા રે, રૂડા રૂપનાથના મન ભાવીયા રે. જેને વાલા નકળંગના નામ પીરનો પહેલો અવતાર જનકનો, એ તો મેલ મટાડવા મનખનો રે, જેણે સોંપ્યા સુખદેવને જ્ઞાન પીરનો બીજો અવતાર મેઘ ધારવો રે, એવો કપટી કાળીંગાને મારવોરે, એ તો પરણાવવા પોતાની કુવાર પીર ત્રીજો અવ...