Posts

Showing posts from October, 2023

જોધલપીર બાપા સાખી

 ‌.                    જોધલપીર બાપા સાખી  ૧) અવતારી મા ઓલિયા, ભાંગે ભકતોની ભીડ,  જાહેર જ્યોતિ, જય જય ગુરૂ જોધલપીર. ૨) જપો નામ જોધલપીરનું કરે પાપનો નાશ,  કર જોડી જગદીશ કહે, તમે રાખો દઢ વિશ્વાસ... ૩) જોધલ જ્યોત સદા જાગતી, તને કૃષ્ણ કહું કે રામ,  ભક્તોની ભીડે વહેલા આવીયા, ધરી જાહેર જોધલ નામ. ૪) સંવત તેરસો સોળમાં, જન્મ્યાં જોધલપીર, પુત્ર બે પોણા તણાં, હરખો અને સાહેબ હીર. ૫) જોધલપીરની જગ્યામાં, છે ભવાન છડીદાર, ભક્તિ રોપી ભાલમાં, દુઃખી તણો દાતાર. ૬ )શ્વાસાના તું કર સ્મરણ, જપો અંજપાના જાપ,  બ્રહ્મ તત્વનું ધ્યાન ધરે, તો ગુરૂ જોધલ આપોઆપ. ૭) પગમાં પહેરી ચાખડી, ઘોડલીયે થયા અસવાર,  ધોળકા જાનિયા પીર થયા, કેસરડીમાં જોધલપીર   ૮) પ્રથમ નમું જોધલપીરને, બીજે મહંત ઉગમશી નાથ... ઓ... પહેલા નમન મારા પીરને અને બીજા ઉગમશી બાપજી... આ ત્રીજે નમુ ગોરધનદાસને, જેના અવિચળ રહેશે નામ...         ૯) રહેશે સદા તમારી નામના, જેણે કીધા છે સેવાના કામ... ગાદી શોભાવી આ મારા પીરની, મંદિર બનાવી મોતા ગામ... ૧૦) ઓઢણી ...

ઘટસ્થાપન માટે શુભ મુહૂર્ત,સાચા અર્થમાં નવરાત્રિ શું છે।!

Image
  ઘટસ્થાપન માટે શુભ મુહૂર્ત શરૂઆત: 30 માર્ચ 2025 (પ્રથમ નવરાત્રી - ઘટસ્થાપન) સમાપ્તિ: 7 એપ્રિલ 2025 (નવમી પૂજન અને વ્રત પારણ) ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ પ્રારંભઃ 29 માર્ચ 2025, બપોરે 4:27  ચૈત્ર શુકલ પ્રતિપદા તિથિ સમાપ્તિ: 30 માર્ચ 2025, બપોરે 12:49  કળશ સ્થાપના માટે શુભ મુહૂર્તઃ 30 માર્ચ 2025, 6:13 थी 10:22  અભિજીત મુહૂર્ત: 30 માર્ચ 2025, બપોરે 12:01 थी 12:50   Jay Aadyashakti Aarti જય આદ્યાશક્તિ આરતી જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દિપાવ્યા , પડવે પ્રકટ્યા મા …  ઓમ જ્યો જ્યો માં જગદંબે દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ  ગાયે, હર  ગાયે હર મા … ઓમ જ્યો જ્યો માં ………. મૈયા તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા ત્રયા  થકી તરવેણી, તું તરવેણી  મા … ઓમ જ્યો જ્યો માં ………. ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા ચાર ભૂજા ચૌદિશા , પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ જ્યો જ્યો માં ………. મૈયા પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા પંચ સહસ્ત્ર  ત્યાં સોહિયે, પંચે તત્વોમાં … ઓમ જ્યો જ્યો માં ………. મૈયા ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્...