Posts

Showing posts from October, 2023

જોધલપીર બાપા સાખી

 ‌.                    જોધલપીર બાપા સાખી  ૧) અવતારી મા ઓલિયા, ભાંગે ભકતોની ભીડ,  જાહેર જ્યોતિ, જય જય ગુરૂ જોધલપીર. ૨) જપો નામ જોધલપીરનું કરે પાપનો નાશ,  કર જોડી જગદીશ કહે, તમે રાખો દઢ વિશ્વાસ... ૩) જોધલ જ્યોત સદા જાગતી, તને કૃષ્ણ કહું કે રામ,  ભક્તોની ભીડે વહેલા આવીયા, ધરી જાહેર જોધલ નામ. ૪) સંવત તેરસો સોળમાં, જન્મ્યાં જોધલપીર, પુત્ર બે પોણા તણાં, હરખો અને સાહેબ હીર. ૫) જોધલપીરની જગ્યામાં, છે ભવાન છડીદાર, ભક્તિ રોપી ભાલમાં, દુઃખી તણો દાતાર. ૬ )શ્વાસાના તું કર સ્મરણ, જપો અંજપાના જાપ,  બ્રહ્મ તત્વનું ધ્યાન ધરે, તો ગુરૂ જોધલ આપોઆપ. ૭) પગમાં પહેરી ચાખડી, ઘોડલીયે થયા અસવાર,  ધોળકા જાનિયા પીર થયા, કેસરડીમાં જોધલપીર   ૮) પ્રથમ નમું જોધલપીરને, બીજે મહંત ઉગમશી નાથ... ઓ... પહેલા નમન મારા પીરને અને બીજા ઉગમશી બાપજી... આ ત્રીજે નમુ ગોરધનદાસને, જેના અવિચળ રહેશે નામ...         ૯) રહેશે સદા તમારી નામના, જેણે કીધા છે સેવાના કામ... ગાદી શોભાવી આ મારા પીરની, મંદિર બનાવી મોતા ગામ... ૧૦) ઓઢણી ...

મા નવદુર્ગા" ના 9 સ્વરૂપોના 9 વિશેષ મંદિરો,સાચા અર્થમાં નવરાત્રિ શું છે,નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત

Image
  નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત નવરાત્રીનો પ્રારંભ 22 સપ્ટેમ્બર 2025, સોમવાર ને આસો સુદ ૧ થી નવરાત્રીનો પ્રારંભ થાય છે ઘટ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારનું મુહૂર્ત સવારે 06:35 થી 08:05 સુધી અભિજિત મુહૂર્ત जपोरे 12:10 थी 12:25 सुधी સંધ્યા મુહૂર્ત સાંજે 05:00 થી 07:45 સુધી મા નવદુર્ગા"  ના 9 સ્વરૂપોના 9 વિશેષ મંદિરો  1. શૈલપુત્રી મંદિર, કાશી નવદુર્ગાની પ્રથમ દેવી, શૈલપુત્રીનું પ્રાચીન મંદિર કાશીના ઘાટ પર આવેલું છે. શૈલ એટલે બરફનો પર્વત, હિમવાનની પુત્રી હોવાને કારણે તે શૈલપુત્રી કહેવાતા હતા. એવું માનવામાં આવે છે કે મા જન્મ પછી પહેલી વાર અહીં આવ્યા અને અહીં જ બિરાજમાન થઇ ગયા. 2. બ્રહ્મચારિણી મંદિર, વારાણસી બ્રહ્મચારિણીનું બીજું મંદિર એટલે કે માતાજીની બીજી શક્તિ, વારાણસીના બાલાજી ઘાટ પર સ્થિત છે. બ્રહ્મચારિણી એટલે કઠોરતાની ચારિણી, એટલે કઠોરતા તપ કરનારી. જ્યારે તેમણે કઠોર તપશ્ચર્યા દ્વારા શિવને મેળવ્યા એટલે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા.' 3. ચંદ્રઘંટા મંદિર, પ્રયાગરાજ માતા પાર્વતીની ત્રીજી શક્તિ ચંદ્રઘંટા છે, જેમણે ચંદ્રમૌલી શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા. મા ચંદ્રઘંટાનું પ્રાચ...