મા નવદુર્ગા" ના 9 સ્વરૂપોના 9 વિશેષ મંદિરો,સાચા અર્થમાં નવરાત્રિ શું છે,નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત

 




નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત

નવરાત્રીનો પ્રારંભ

22 સપ્ટેમ્બર 2025, સોમવાર ને આસો સુદ ૧ થી નવરાત્રીનો પ્રારંભ થાય છે

ઘટ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત

સવારનું મુહૂર્ત

સવારે 06:35 થી 08:05 સુધી

અભિજિત મુહૂર્ત

जपोरे 12:10 थी 12:25 सुधी

સંધ્યા મુહૂર્ત

સાંજે 05:00 થી 07:45 સુધી

મા નવદુર્ગા"  ના 9 સ્વરૂપોના 9 વિશેષ મંદિરો 

1. શૈલપુત્રી મંદિર, કાશી
નવદુર્ગાની પ્રથમ દેવી, શૈલપુત્રીનું પ્રાચીન મંદિર કાશીના ઘાટ પર આવેલું છે. શૈલ એટલે બરફનો પર્વત, હિમવાનની પુત્રી હોવાને કારણે તે શૈલપુત્રી કહેવાતા હતા. એવું માનવામાં આવે છે કે મા જન્મ પછી પહેલી વાર અહીં આવ્યા અને અહીં જ બિરાજમાન થઇ ગયા.

2. બ્રહ્મચારિણી મંદિર, વારાણસી
બ્રહ્મચારિણીનું બીજું મંદિર એટલે કે માતાજીની બીજી શક્તિ, વારાણસીના બાલાજી ઘાટ પર સ્થિત છે. બ્રહ્મચારિણી એટલે કઠોરતાની ચારિણી, એટલે કઠોરતા તપ કરનારી. જ્યારે તેમણે કઠોર તપશ્ચર્યા દ્વારા શિવને મેળવ્યા એટલે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા.'


3. ચંદ્રઘંટા મંદિર, પ્રયાગરાજ
માતા પાર્વતીની ત્રીજી શક્તિ ચંદ્રઘંટા છે, જેમણે ચંદ્રમૌલી શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા. મા ચંદ્રઘંટાનું પ્રાચીન મંદિર, જેને ક્ષેમા માઈ મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર પ્રાગમાં આવેલું છે. ચંદ્રઘંટા એટલે માથા પર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર જોવા મળે છે.

4. કુષ્માંડા મંદિર, કાનપુર
માતાનું ચોથું શક્તિ કુષ્મંડ મંદિર કાનપુરના ઘાટમપુર બ્લોકમાં આવેલું છે. તેમની અંદર બ્રહ્માંડ સમાયેલું છે, તેથી જ તેમને કુષ્માંડા કહેવામાં આવે છે.

5. સ્કંદમાતા મંદિર, વારાણસી
માતાની પાંચમી શક્તિ સ્કંદમાતાનું ગુફા મંદિર, હિમાચલમાં ખખનાલ ખાતે આવેલુ છે. માતાનું બીજું પ્રખ્યાત મંદિર વારાણસીમાં અને ત્રીજું દિલ્હીના પટપડગંજમાં આવેલું છે. કાર્તિકેય અર્થાત સ્કંદની માતા હોવાના કારણે તેમને સ્કંદમાતા કહેવાય છે.

6. કાત્યાયની મંદિર, અવેર્સા
માતાની ત્રીજી શક્તિ કાત્યાયિનીનું મંદિર, કર્ણાટકના અંકોલા નજીકના અવેર્સામાં આવેલું છે. તે કાત્યાયની બાનેશ્વર મંદિર તરીકે પ્રખ્યાત છે. વૃંદાવન મથુરાના ભૂતેશ્વરમાં કાત્યાયની વૃંદાવન શક્તિપીઠ છે, જ્યાં સતીના વાળ પડ્યા હતા. ઋષિ કાત્યાયનની પુત્રી હોવાને કારણે, તેઓને કાત્યાયની કહેવાયા._

7. કાલરાત્રી મંદિર, વારાણસી
માતાની સાતમી શક્તિ કાલરાત્રીનું મંદિર પણ વારાણસીમાં આવેલું છે. દેવી કાલ મતલબ દરેક પ્રકારના સંકટનો નાશ કરનારી છે તેથી તેને કાલરાત્રી કહેવાય છે. માતા કાલરાત્રીએ રાક્ષસોનો વધ કર્યો. તેમની પુજા રાત્રે જ કરવામાં આવે છે.

8. મહાગૌરી મંદિર, લુધિયાણા
માતાની આઠમી શક્તિ મહાગૌરીનું મંદિર પંજાબના લુધિયાણા અને યુપીના વારાણસીમાં સ્થિત છે. માતાનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે એટલે કે ગૌરા (સફેદ), તેથી તેણીને મહાગૌરી કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તપને કારણે તેમનું શરીર કાળા થઈ ગયું હતું, ત્યારબાદ શિવજીએ તેમને ગૌરવર્ણમાં ફેરવ્યો.

9. સિદ્ધિદાત્રી મંદિર, સતના
માતાની નવમી શક્તિ સિધ્ધિદાત્રીનું મંદિર મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સ્થિત છે. માતાના અન્ય પ્રખ્યાત મંદિરો યુપી-વારાણસી, સતના-મધ્યપ્રદેશ અને દેવપહાડી-છત્તીસગઢમાં પણ છે. દેવી તેમના સમર્પિત ભક્તોને તમામ પ્રકારની સિધ્ધી આપે છે તેથી તેમનેસિદ્ધિદાત્રી કહે છે.
____✍🏻 જય અંબે ભવાની🙏🚩



Jay Aadyashakti Aarti જય આદ્યાશક્તિ આરતી


જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ

અખંડ બ્રહ્માંડ દિપાવ્યા , પડવે પ્રકટ્યા મા …

 ઓમ જ્યો જ્યો માં જગદંબે


દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું

બ્રહ્મા ગણપતિ  ગાયે, હર  ગાયે હર મા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા

ત્રયા  થકી તરવેણી, તું તરવેણી  મા … ઓમ જ્યો જ્યો માં ……….

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા

ચાર ભૂજા ચૌદિશા , પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા

પંચ સહસ્ત્ર  ત્યાં સોહિયે, પંચે તત્વોમાં … ઓમ જ્યો જ્યો માં ……….





મૈયા ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો

નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા … ઓમ જ્યો જ્યો માં ……….

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા-સાવિત્રી

ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા માં

સુની વર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ જ્યો જ્યો માં ……….

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા

નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન,

કીધા હર બ્રહ્મા … ઓમ જ્યો જ્યો માં ……….

મૈયા દશમી દશ અવતાર, જય વિજયા દશમી

રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ જ્યો જ્યો માં ……….


એકાદશી અગિયારસ, કાત્યાયની કામા

કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ જ્યો જ્યો માં ……….


મૈયા બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા

બટુક ભૈરવ સોહિયે , કાળ ભૈરવ સોહિયે ,

તારા છે તુજ મા … ઓમ જ્યો જ્યો માં ……….


તેરસે તુળજા રૂપ, તમે  તારુણી માતા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં … ઓમ જ્યો જ્યો માં ……….


મૈયા ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા માં

ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ…..

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા

વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિ એ વખાણ્યા,

ગાઈ શુભ કવિતા … ઓમ જ્યો જ્યો માં ……….


મૈયા  સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં

સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ જ્યો જ્યો માં.


ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી


સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ …


એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો

ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ જ્યો જ્યો માં


શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે

ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ જ્યો જ્યો માં ……….


મૈયા ભાવ ન જાણું ભાવ ન જાણું નવ જાણું સેવા

વલ્ભભ ભટ્ટ  ને રાખ્યા,ચરણે સુખ દેવા  … ઓમ જ્યો જ્યો માં ………


સાચા અર્થમાં નવરાત્રિ શું છે।! 


1. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર

2. બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા

3. ચંદ્રઘટા = ચંદ્રકળાની જેમ માસિક ધર્મ પાળતી યુવતી

4. કુષ્માંડા = કુષ્માંડ (ગર્ભ) ધારણ કરતી ગર્ભવતી

5. સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર

6. કાત્યાયની = સદા પરિવાર માટે કાંઈક ને કંઈક ઇચ્છતી રહેનાર ગૃહિણી (કાતિ એટલે ઇચ્છુક, આયની એટલે રહેનાર...)

7. કાલરાત્રિ = કાળનો માર ખાઈને જીવનની રાત્રી સમાન વૃદ્ધાવસ્થામાં જીવતી સ્ત્રી

8. મહાગૌરી = મરણપથારીએ શ્વેત કફન ઓઢી પરમધામમાં સદ્દગતિની પ્રાપ્ત થયેલી ગૌરી

9. સિદ્ધિ દાત્રી = મોક્ષ/ મુક્તિ / સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલી સૌનું કલ્યાણ કરનારી પરમાત્મા


*નવરાત્રિના સમાપન પર કળશ વિસર્જન ક્યા અને કેવી રીતે કરશો? કુંભ પરના નાળિયેરનું શું કરશો ?* 🌹

વૈદિક પંચાંગ મુજબ, આસો માસની દશમી તિથિ 1 ઓક્ટોબરના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થાય છે અને 2 ઓક્ટોબરના રોજ સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદય તિથિ ના આધારે, 2 ઓક્ટોબરના રોજ દશેરાનું પર્વ મનાવવામાં આવશે, અને આ પવિત્ર દિવસે જ દુર્ગા વિસર્જન સાથે કળશનું પણ વિસર્જન થશે. આ ક્ષણે, ભાવિક ભક્તો માતા દુર્ગાને હૃદયપૂર્વક વિદાય આપે છે અને તેમને વિસર્જન અર્પણ કરે છે.

*પવિત્ર કળશ વિસર્જનની સંપૂર્ણ વિધિ :* 🌹

કળશનું વિસર્જન કરતાં પહેલાં, સૌપ્રથમ તેના પર મૂકેલા નાળિયેરને ઉતારીને તેને પ્રસાદ સ્વરૂપે સૌમાં વહેંચી દો. ત્યારબાદ, કળશના જળને આંબાના પાન દ્વારા આખા ઘરમાં છાંટો. આ પવિત્ર જળ ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરી શુભ ફળ પ્રદાન કરે છે. આ જળને પીપળાના વૃક્ષના મૂળમાં પણ અર્પણ કરી શકાય છે. પછી, માટીના કળશને નદી અથવા અન્ય સ્વચ્છ, વહેતા જળમાં શાંતિથી વિસર્જન કરી દો. જો કળશની અંદર લવિંગ, સોપારી કે કમરકાકડી જેવી સામગ્રી મૂકવામાં આવી હોય, તો તેને પણ જળમાં વિસર્જન કરવી. આ રીતે પૂજા વિધિની પૂર્ણાહુતિ થાય છે.

*કળશ વિસર્જન મંત્ર :* 🪔

કળશનું વિસર્જન કરતી વખતે મંત્રોચ્ચાર કરવો અત્યંત શુભ ગણાય છે. 

જ્યારે કળશ ઉપાડો, ત્યારે: *"આવાહનં નં જાનામિ નં જાનામિ વિસારમ્। પૂજન ચૈવ નં જાનામિ ક્ષમાસ્વ પરમેશ્વર."* 

કળશનું વિસર્જન કરતી વખતે: *"ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ, સ્વસ્થાનં પરમેશ્વરી, પૂજારાધનકલે ચ પુનર્ગમનય ચ."*


     


Comments

Popular posts from this blog

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

ધો 1થી8 મફત શિક્ષણ,RIGHT TO EDUCATION

કેટલીક રસપ્રદ હકીકતો ,દરેક હિંદુને આટલી તો ખબર હોવી જ જોઈએ આ માહિતી વાંચો અને બાળકોને પણ વંચાવો