નવરાત્રી આરતી અર્થ


‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’

 એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો. 

‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’

 બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંં`

ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો. 

‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’

એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે. 

‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’

અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો. 

‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’

 મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’

સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો. 

‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’

(દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.

 ‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’

નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.

‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’

દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’

નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’* બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’

હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’

શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'

પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’

અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.


‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’

આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. કૈલાસ (મોક્ષ)માં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.


A=અંબે. 👣

     B=ભવાની 👣

        C=ચામુંડા 👣

             D=દુર્ગા 👣

                E=એકરૂપી 👣

                  F= फरसाधारणी 👣

                       G=ગાયત્રી 👣

                           H=હિંગળાજ 👣

                                I=ઈન્દ્રાણી 👣

                                  J=જગદંબા👣

                                K=કાલી 👣

                               L=લક્ષ્મી 👣

                          M=મહામાયા 👣

                      N=નારાયણી 👣

                O=ॐકારણી 👣

            P=પદ્મા 👣

               Q=કાત્યાની 👣

                    R=રત્નપ્રિયા 👣

                         S=સિતલા 👣

                           T=ત્રિપુરાસુંદરી👣

                                 U=ઉમા 👣

                                  V=વૈષ્ણવી👣

                                    W=વરાહી👣

                                       Y=યતિ 👣

                                 Z=ज़य्वाना 👣


ll सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यम्बके

गौरी नारायणी नमस्तुते ll

*નવરાત્રીમાં આ 1 શ્લોક બોલો* 👌

याश्री स्वयं सुकृतीनां भवनेष्वलक्ष्मी ।

पापात्मनां कृतधियां हृदयेसुबुद्धि ।

श्रद्धाशतां कुलजन प्रभवस्सलज़्जा ।

तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् ।।

📿 *અર્થ અને મહત્ત્વ* 📿

આ દુર્ગાસપ્તશતીમાં આવતો સ્તોત્ર દર્શાવે છે કે મા દુર્ગા જગતમાં કયા-કયા સ્વરૂપે નિવાસ કરે છે :

*સત્કર્મ કરનારા પુણ્યાત્માના ઘરે લક્ષ્મી 🌸*

જે લોકો ધર્મ, દાન, યજ્ઞ, સત્ય અને કરુણા જેવા સત્કર્મ કરે છે, તેમના ઘરે સમૃદ્ધિ અને શાંતિ રૂપે લક્ષ્મીનું નિવાસ રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે – “ધર્મે સર્વં પ્રસિદ્ધ્યતિ” – ધર્મથી જ સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

*પાપકર્મ કરનારા ઘરમાં અલક્ષ્મી 🌑*

જે મનુષ્ય દુરાચાર, હિંસા, અસત્ય, દુરાચાર અને અધર્મમાં રત રહે છે, તેમના જીવનમાં અલક્ષ્મીનો નિવાસ થાય છે – એટલે કે ગરીબી, દુઃખ અને કલહ. મહાભારતમાં પણ કહ્યું છે – “અધર્મઃ અભિવર્ધતે, તત્ર નાશમ્યતિ સમૃદ્ધિઃ” – જ્યાં અધર્મ વધે ત્યાં સમૃદ્ધિ નાશ પામે છે.

*જ્ઞાની અને ગુણવાનના હૃદયમાં શ્રદ્ધા 🙏*

શ્રદ્ધા એ જ્ઞાનની મૂળ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે – “श्रद्धावान् लभते ज्ञानम्” – શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરે છે.

*કુળજનોમાં લજ્જા (શીલ, સંકોચ, સદ્ગુણ) 🌺*

લજ્જા એટલે સદ્ગુણનું રક્ષણ. તે વ્યક્તિને પાપકર્મ તરફ જવાથી અટકાવે છે. કુળજનોમાં લજ્જાનું નિવાસ એ દર્શાવે છે કે જે મનુષ્ય સદાચારી છે, તેની પાસે સંસ્કાર અને શીલનું બળ સદાય રહે છે.


મા દુર્ગા સર્વત્ર સ્વરૂપે પાલન કરે છે 🔱

આ રીતે મા દુર્ગા જ લક્ષ્મી બનીને સમૃદ્ધિ આપે છે, અલક્ષ્મી બનીને અધર્મીઓને દંડ આપે છે, શ્રદ્ધા બનીને જ્ઞાનના માર્ગે ચલાવે છે અને લજ્જા બનીને મનુષ્યને સંસ્કાર આપે છે. તેથી મા દુર્ગા વિશ્વનું પાલન કરતી પરમ શક્તિ છે.

હે મા દુર્ગા..! અમારા જીવનમાંથી પાપ અને અધર્મનો નાશ કરજો, શ્રદ્ધા, લજ્જા, શીલ અને ભક્તિથી જીવન ભરી દેજો, એકનિષ્ઠ ભક્તિનો બળ આપજો અને સત્કર્મના માર્ગે અમને ચલાવજો…!


Comments

Popular posts from this blog

RTE- ૧થી૮ મફત શિક્ષણ 2025

ધો 1થી8 મફત શિક્ષણ,RIGHT TO EDUCATION

કેટલીક રસપ્રદ હકીકતો ,દરેક હિંદુને આટલી તો ખબર હોવી જ જોઈએ આ માહિતી વાંચો અને બાળકોને પણ વંચાવો