ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરિનિવાણ દિવસ
જય ભીમ બોલી એ જય ભીમ કેમ બોલીએ છે શું છે આ જય ભીમ નો મતલબ શું છે.
૧- અંધારામાં રહેલા સમાજને અજવાળા તરફ લઈ જવા નો માર્ગ છે જય ભીમ
૨-ઊઘેલા સમાજ ને જગાડવા માટે નો અવાજ છે જય ભીમ
૩- વંચિત સમાજના અધિકારો માટે ની લલકાર છે જય ભીમ
૪- પછાત સમાજને આગળ લાવવા માટેનો હુંકાર છે જય ભીમ
૫- હતાશ અને નિરાશ થઈ ગયેલા સમાજમાં જોસ જુનુંન પેદા કરવાનું હથિયાર છે જય ભીમ
૬- દલિત સમાજમાં ક્રાંતિ લાવે છે જય ભીમ
૭- હજારો વર્ષોથી ગુલામીમાં રહેલા સમાજને આઝાદીની લડાઇ છે જય ભીમ
૮- આપણું માન સમ્માન સ્વાભિમાન ઇજ્જત છે જય ભીમ
૯- સમાજનો જોસ જૂનુંન હિંમત તાકાત છે જય ભીમ
૧૦ શોષિત સમાજના સ્વાભિમાન ની લડાઈ.*બાબાસાહેબ* ની વાત સમજ બંધુ,
હવે *ઢોંગ* કરવાનું છોડી દે બંધુ..
*રોટલો* આપ્યો *ઓટલો* આપ્યો,
*રક્ષણ* માટે *કાયદો* આપ્યો..
તોય કહે છે મહેર *માતાજી* ની,
હવે તો *સત્ય* સ્વીકાર બંધુ..
ભુલી ગયા ઘડીવારમાં ચાબખા,
ખેતરમાં સુકો રોટલો ખાતા..
માથે *મળ, મૂત્ર* ને *ગોબર* ઉઠાવતા,
*મરેલા ઢોર* ના શબ ખેંચતા..
હવે *ભીમ* પ્રતાપે *ખીર ને મેવા* ખાતા,
હવે તો સત્ય સ્વીકાર બંધુ..
*ધર્મ* સમજે છે *ઢોરથી બદતર,*
*ભંડારા* જુદા, *સ્મશાન* જુદા,
*આચાર* જુદા, *વિચાર* છે જુદા..
*મૂંછો* રાખતા, *ઘોડી* એ ચઢતા પડે છે માર,
તો ય શાને બને છે દીન દુઃખી ને લાચાર,
*ધર્મ* ની પાછળ *હરખ પદૂડો* ના થા બંધૂ..
*માનવ* માં નથી તારું *ગણતર,*
હવે ના બન તું *ધર્મ* નો *ઠેકેદાર..*
યાદ કર *નંગેલી* અને *દેવદાસી*
મન તારું થઈ જાશે *ઉદાસી..*
*ગળા* માં *હાંડી, પીઠ* માં *ઝાડું,*
આવું હતું *ધાર્મિક રાષ્ટ્ર* નિરાળુ..
વાંચ, ક્રાંતિ પ્રતિક્રાંતિ, જાતિ કા વિનાશ,
તારી આવનારી પેઢી કરશે વિકાસ..
*ભીમે* આપ્યો *બુદ્ધ* નો *ધમ્મ*
હવે તો *ડુંગરા* ચઢવાનું *ખમ્મ*
છોડ હવે તું *ધાર્મિક રાષ્ટ્ર* નો નારો,
દુનિયા લઈ રહી છે *જય ભીમ* નો સહારો,
🙏જય ભીમ🙏
Comments
Post a Comment